Voice of Surat

અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીના જામીન મંજુર

Posted On: |1 min read
Voice of Surat News

અંકલેશ્વર જીઆઈડીસીથી સગીરા સુરત આવી જતા આરોપી મોસમ કુશ્વાહા યુપી ભગાડી ગયો હોવાની નોંધાઈ હતી ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અપહરણકાર અને પિડીતાને યુપીથી પકડી પાડ્યા હતાં પીડિતા ને માતા ના હવાલે કરી આરોપી ને કોર્ટ માં રજૂ કરાતા આરોપી ને કોર્ટ એ જેલ હવાલે કર્યો હતો. આરોપી અને પિડીતા વચ્ચે પ્રેમ સંબંધ હોવા અને સગીરા જાતે જ સુરત આવી હોવાની કોર્ટમાં એડવોકેટ અસલમ એમ. શેખએ કરી હતી. એડવોકેટ અસલમ એમ. શેખ દ્વારા આરોપીએ અંકલેશ્વર કોર્ટમાં કરી હતી જામીન અરજી કરી હોવાનું જાણવા મળે છે. અંકલેશ્વર ડીસ્ટ્રીક્ટ કોર્ટે બન્ને પક્ષોની દલીલો બાદ આરોપી મોસમ કુશ્વાહાને જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.