ધનતેરસ પૂર્વે દેશભરમાં ચાંદીની અછત
Posted On: |1 min read

ચાંદીના ભાવમાં ૧૦ દિવસમાં રૂ.૨૨,૦૦૦નો વધારોઃ ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો ચાલુ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં, ભાવમાં રૂ.૨૨,૦૦૦નો વધારો થયો છે, જે કોઈપણ ટ્રેડિંગ સત્રમાં સૌથી વધુ વધારો છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં, ચાંદીના ભાવમાં રૂ.૧૭,૫૦૦ પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. ભાવમાં વધુ વધારો શકય છે.રોકાણ માટે ચાંદી એટલી બધી ખરીદી કરવામાં આવી છે કે તે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. તહેવારોની મોસમ દરમિયાન, દેશભરના દરેક મોટા શહેરના બુલિયન બજારો શુદ્ધ ચાંદીની અછતનો સામનો કરી રહ્યા છે. બેંકોમાંથી શુદ્ધ ચાંદીનો પુરવઠો લગભગ અડધો થઈ રહ્યો છે. બુલિયન વેપારીઓના મતે, ભૌતિક ચાંદી અને ચાંદીના ETFમાં રોકાણમાં વધારો, મર્યાદિત આયાત અને આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક પુરવઠામાં ઘટાડો થયો છે.

