Voice of Surat

LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, સેનાના 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત

Posted On: |1 min read
I recently went to the mountains with my friends. We were celebrating 50 years of friendship. It was very special. Six of us were to be together spending time in the mountains.

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક સૈનિક (અગ્નિવીર)નું મોત થયું હતું જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુરની આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન થયો વિસ્ફોટ

સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ લેન્ડમાઈન વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા અને ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.

1 અગ્નિવીર શહીદ, 2 ઇજાગ્રસ્ત

ભારતીય સેનાની 7 જાટ રેજિમેન્ટના નાયબ સુબેદાર હરિ રામ, હવાલદાર ગજેન્દ્ર સિંહ અને અગ્નિવીર લલિત કુમાર અગ્રીમ પોસ્ટ નજીક નિયમિત પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેઓ જમીન નીચે દાટેલી M-16 સુરંગના વિસ્ફોટમાં આવી ગયા. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા હતા, જ્યારે હવાલદાર ગજેન્દ્ર સિંહ અને સુબેદાર હરિ રામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કેમ લેન્ડમાઇન બિછાવે છે?

સેના અને સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્ફોટના સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેના સરહદ પારથી ઘૂસણખોરીને રોકવા માટે આ આગળના વિસ્તારોમાં નિયમિતપણે પેટ્રોલિંગ કરે છે અને સુરક્ષા પ્રોટોકોલના ભાગ રૂપે લેન્ડમાઇન બિછાવે છે.