Voice of Surat

AN-24 વિમાન ક્રેશ થવા પાછળ કયા કારણો હતા જવાબદાર, જાણો સમગ્ર મામલો

Posted On: |2 min read
Voice of Surat News

રશિયાના અમુરમાં ક્રેશ થયેલા AN-24 વિમાનને સર્બિયા અને રશિયામાં 'ઉડતું ટ્રેક્ટર' તરીકે ઓળખવામાં આવે છે. સોવિયેત યુનિયન યુગ દરમિયાન, રશિયાએ AN-24 શ્રેણીના 1300 વિમાનો બનાવ્યા હતા. જે શૂન્ય ડિગ્રી તાપમાનમાં પણ સરળતાથી ઉડી શકતા હતા. જોકે, હવે આ વિમાન રશિયન નાગરિકો માટે બોમ્બશેલ સાબિત થઈ રહ્યું છે. અમુરમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 49 લોકોના મોત થયા હતા. વર્ષ 2023માં, રશિયામાં આ જ An-24નું બીજું વિમાન ક્રેશ થયું હતું. જેમાં 37 લોકો સવાર હતા અને તમામ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

'ઉડતું ટ્રેક્ટર' કેટલીવાર ક્ષતિગ્રસ્ત ?

46 વર્ષમાં AN-24 ગ્રુપના 88 વિમાન ક્રેશ થયા છે. 65 વિમાનને નાના અકસ્માતોને કારણે નુકસાન થયું છે. દર વર્ષે સરેરાશ આ શ્રેણીના 2 વિમાન ક્રેશ થયા છે. તે જ સમયે લગભગ એક વિમાન અકસ્માતને કારણે નુકસાન થયું છે. વિમાનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, વિમાન 5મી વખત ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 49 લોકોના મોત થયા હતા. ૩. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે, રશિયાને AN-24 વિમાનને રિપેર કરવા માટે સાધન-સામગ્રીો મળી રહી નથી. આ કારણે પણ તેના વિમાનો ક્રેશ થઈ રહ્યા છે. રશિયાએ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. વર્ષ 2011માં જ્યારે AN-24 શ્રેણીનું વિમાન સર્બિયામાં ક્રેશ થયું હતું. ત્યારે તત્કાલીન રશિયન રાષ્ટ્રપતિ મેદવેદેવે કહ્યું હતું કે તેની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પરંતુ આ શક્ય નહોતું.


ક્રેશ થવાની દુર્ઘટના કેવી રીતે થઇ ?

ગુરુવારે ક્રેશ થયેલા રશિયન વિમાન ટિંડામાં ઉતરાણ કરવાનું હતું. વિમાને એક વખત ટિંડા એરપોર્ટ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાયલટ તેને ઉતરાણ કરવામાં સફળ રહ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિમાન ટિંડાથી 15 કિમી દૂર ક્રેશ થયું હતું. વિમાનમાં 43 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. આ 49 લોકોમાંથી એક ચીની નાગરિક પણ હતો. એટલે કે, મૃત્યુ પામનાર 49 લોકોમાંથી 48 રશિયન અને એક ચીની યાત્રી હતો.